નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢ્યાં. આ અગાઉ અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલજી અનિલ બૈજલને મળવા ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ એવા પણ અહેવાલ છે કે 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલની શપથવિધિ થઈ શકે છે. શપથવિધિ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત આજે આપ ધારાસભ્યોની એક બેઠક પણ છે. અરવિંદ  કેજરીવાલે પોતાના નિવાસ સ્થાને આ બેઠક બોલાવી છે. આ બાજુ દિલ્હી ભાજપે પણ હારની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં મંગળવારે 11 ફેબ્રુઆરીએ આવેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળ્યો છે. દિલ્હીની 62 બેઠકો પર પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે ભાજપને ફાળે માત્ર 8 બેઠકો ગઈ. કોંગ્રેસને તો એક પણ બેઠક ન મળી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...